એનર્જી સેક્ટરની દિગ્ગજ કંપની સુઝલૉન એનર્જીના ફાઉન્ડર ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તુલસી તાંતીનું નિધન થઇ ગયું છે. 1 ઓક્ટોબરના મોડી રાત્રે કંપનીએ શેર બજારને આની જાણકારી આપી. કંપનીએ જણાવ્યું કે કાર્ડિયક અરેસ્ટના કારણે તાંતીનું નિધન થયું છે. જણાવી દઇએ કે તુલસી તાંતીની ઉંમર 64 વર્ષ હતી.
એક અધિકારીએ જણાવ્યું કે તાંતી ઇન્ડિયન વિંડ ટર્બાઇન મેન્યુફેક્ચર્ડ એસોસિયેશનના અધ્યક્ષ પણ હતું. તેઓ અમદાવાદથી પુણે જઇ રહ્યા હતા. ત્યારે તેમને કાર્ડિયક અરેસ્ટ થયું.
સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 204% વધ્યું, ટાટા-હ્યુંડઇના આંકડા પણ સારા
તુલસી તાંતીનો જન્મ 1958માં ગુજરાતના રાજકોટમાં થયો હતો. તેમણે સુઝલૉન એનર્જીની સ્થાપના 1995માં કરી હતી. તેમના પરિવારમાં દિકરી નિધિ અને દિકરો પ્રણાવ છે. તાંતી સુઝલૉન એનર્જીની સ્થાપનાની સાથે જ ભારતમાં વિંડ એનર્જી સેક્ટરની આગેવાની પણ કરી. તેમણે ભારતીય રિન્યુએબલ એનર્જીમાં પણ ગ્લોબલ પડકારો વચ્ચે વર્ચસ્વ બનાવવાના પ્રયત્નો કર્યા. તાંતીએ રિન્યુએબલ એનર્જીની કલ્પના એવા સમયમાં કરી હતી. જ્યારે આ સેક્ટરમાં ઇન્ટરનેશનલ ખેલાડીઓનો દબદબો હતો. સાધારણ રીતે લોકો માટે આ મુશ્કેલ હતું. તાંતીનું નિધન એવા સમયે થયું છે જ્યારે કંપની 240 કરોડ શેર્સના રાઇટ્સ ઇશ્યૂ થકી અંદાજે 1,200 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારી કરી રહી છે.
વીજળીની અછતના કારણે થઇ હતી સુઝલૉન એનર્જીની સ્થાપના
તુલસી તાંતી કપડા વ્યવસાયી હતા. પરંતુ વીજળીની અછતના કારણે ઉત્પાદનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેના કારણે તેમને 1995માં જ કપડા કંપનીની ઉર્જા જરૂરતોને પુરી કરવા માટે પવન ઉર્જા ઉત્પાદનમાં પગલું ભર્યું અને સુઝલૉન એનર્જીની સ્થાપના કરી. આ બાદ તેમણે 2001માં કપડા વ્યવસાયને વેચી દીધો અને 2003માં, સુઝલૉનને દક્ષિણ-પશ્ચિમી મિનેસોટામાં 24 ટર્બાઇનની આપૂર્તિ માટે ડેનમાર એન્ડ એસોસિયેટ્સથી યુએસએમાં પહેલો ઓર્ડર મળ્યો.